જે પ્રેમ કરે તેને પ્રેમ કરવો સહેલુ છે, પરંતુ જે આક્ષેપો કરે ગાળૉ આપે ,ધિક્કારે, તેને પણ પ્રેમ કરવો, તે જ  જીંદગી જીવવાની કળા છ.જેને આ કળા હસ્ત હશૅ તેને દુનિયા ભલે ધિક્કારશૅ,પ્રભુ હંમેશ પ્યાર કરશે.

ગાધીજીએ હિન્દુ, મુસ્લિમ, ઇશાઇ, પારસી સૌ ને સરખો પ્રેમ આપ્યો, તેમની પ્રાર્થના સભામાં સર્વ ધર્મ પ્રાર્થના થતી, તેમને એક હિન્દુએ જ ધિક્કાર્યા, અને ગોળી મારી તેમના મુખમાં મરતી વખતે હે રામ ,રામ તને માફ કરે, શબ્દો જ નીકળ્યા.

ઇશુ ખ્રિસ્ત ને તેમના જ સમાજે, ક્રોસ પર ચઢાવ્યા .તેમણૅ મરતા મરતા પ્રાર્થના કરી. Father forgive them, they donot know what they are doing. 

ભગવાન રામે, ભગવાન શ્રી કૃષ્ણે જગત કલ્યાણ અર્થે રાક્ષસોને માર્યા સૌ ને મોક્ષ આપ્યો. 

આપણૅ માનવ આમાનુ થોડુ પણ શીખીએ,તો જીવન જીવ્યા, સાર્થક થશૅ.