મા-બાપ અને સદગુરુના ઉપકારનો બદલો કોઈ રીતે વાળી શકાતો નથી.  કોઈની લખેલી આ કવિતા છે,
પણ આજના દિવસે,મારા બાના દેહત્યાગના બરાબર એક વર્ષે, કવિતાની ધ્રુવ પંક્તિ
મનમાં ગુંજે છે….

બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા.
 
મંદિરમાં જઈ  આજ દર્શન કર્યાં મેં,
ઘંટ વગાડ્યો, પૂજા-અર્ચના કરી મેં,
પ્રસાદ લીધો, લઈને ઘરે હું આવ્યો,
આંખોમાં આંસુ  ત્યાં ભરાઈ આવ્યાં,
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા.
 
ભીંજાઈને  બહારથી  ઘરે હું  આવ્યો,
છીંકાછીંક શરદી તાવ સાથ લાવ્યો,
છાતી ગળે પત્નીએ બામ લગાવ્યો,
આંખોમાં આંસુ ત્યાં તો ધસી આવ્યાં,
 
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા.
 
બા,  તમારા પૌત્રના આજે લગ્ન કીધાં,
તુજ વહૂને  પોંખીને  ઓવારણા લીધાં,
આજે ઘરમાં પૂત્રવધુના પગલાં પડ્યાં,
હૃદયનાં બંધ,  બેફામ સૌ તૂટી પડ્યાં,
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા.

ઝરણાં,  નદીઓ  એમ જ વહેતાં રહેશે,
સાગર ઊછળશે,  વાદળો પણ છવાશે,
એ જ વાયુ ને એ જ રોજિંદુ વાતાવરણ,
પણ  બા,  તમે ક્યાં છો,  તમે ક્યાં છો?
 
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા (Punita Dave ?)

http://f-you-n.blogspot.com/2010/06/f4ag_2020.html