Fri 8 Sep 2023
કૃષ્ણ જન્મ શા માટે?
Filed under: આધ્યાત્મિક ચિન્તન,આધ્યાતમ્ક ચિન્તન — indirashah @ 11:50 am
 કૃષ્ણ જન્મ શા માટે?

lord krishna

દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી આવી, સૌએ ધામધુમથી ઉજવી, જોર શૉરથી જન્મ ઘોષણા થઇ.

નંદ ઘેર આનંદ ભયો, યસોદાને લાલો ભયો

જય કનૈયા લાલકી, હાથી ઘોડા પાલખી

વિચાર આવે, કૃષ્ણ જન્મ લે અને પાછો વૈકુઠ જતો રહેતો હશે? કોઇ રાક્ષસ ની હત્યા નથી કરતો! રોજ સવાર પડે, પેપરની હેડલાઇન સ્કુલની માસુમ બાળા પર શિક્ષકે કર્યો બળાત્કાર તો ક્યારેક પિતાએ સ્ટેપ ડૉટર પર બળાત્કારના સમાચાર સાંભળવા મળે,પોલીસ- નાગરિક વચ્ચે મારામારીના સમાચાર આતંકવાદીઓએ રાઇફલ-મસીનગનથી સેંકડો નિર્દોશ નાગરિકોના જાન લીધાના સમાચાર.આ બધુ વાંચતા સાંભળતા મન ઉદાસી અનુભવે, વિચાર આવે આટલા નરરાક્ષસો નરાધમો દુઃશાસનો ને કૃષ્ણ  જોઇ રહ્યો છે! કેમ અવતાર લઇ વૈકુઠ છૉડી પૃથ્વી પર જ્ન્મ લેતો નથી? દ્વાપર યુગમાં જન્મ લીધો ત્યારે નવજાત બાળ કૃષ્ણે પુતનાનુ વિષ પીધુ તેના જ મુખમાં રેડ્યું તેને મોક્ષ આપ્યો શિશુપાળ કંસ જેવા રાક્ષસોનો સંહાર કરી માતા- પિતા દેવકી-  વાસુદેવને કાળા કારાવાશમાંથી છોડાવ્યા મથુરા નગરીમાં સુખ શાંતિ સ્થાપિત કરી.જમુના નદીમાં રહેતા કાળીયા નાગના વિષથી  પવિત્ર નદી ઝેરી થઇ હતી તેને પવિત્ર  બનાવી.આટલા કામો તો કૃષ્ણે બાળ  અવસ્થામાં જ પૂરા કર્યા.

ગોકુળની ગોપીઓના ગોરસ ફોડ્યા માખણ ચોર્યા વસ્ત્રો ચોર્યા આવી અનેક લીલાઓ કરી ભક્તિનો મહિમા વધાર્યો.

કિશૉર અવસ્થાની બરીબ સુદામાની મિત્રતા  નિભાવી તેને તવંગર બનાવ્યો તેની ઝુપડીનો મહેલ કર્યો.

હસ્તિનાપુરમાં,અંધ ધૃતરાષ્ટ્ર્ના આંધળા પુત્ર પ્રેમ અને મામા શકુનીના કપટથી પરેસાન થતા પાંડવો અને ફોઇ કુંતીને  મદદ કરી.કૃષ્ણ પોતે અર્જુન સખાના સારથી બન્યા મહાભારતના યુધ્ધમાં ગયા, અર્જુને લાગણીવશ બની ગાંડિવ હેઠે મુક્યું ત્યારે અર્જુનના સખા બની તેને ગીતા જ્ઞાન આપ્યું. સમય આવે પોતાની પ્રતિજ્ઞા તોડી રથનું પૈડુ ઉપાડી ભિષ્મને પાડ્યા.આ રીતે અધર્મની સામે ધર્મનો વિજય કરાવ્યો.આ બધા કામ કરવા કૃષ્ણ તે જન્મ લીધો.

શું તને નથી દેખાતો? કળિયુગમાં થતો આટલો બધો અધર્મ? કે તને કોઇ નારદ જેવા ભક્તએ હજુ સંદેશો નથી પહોંચાડ્યો?

આજ કાલ ચંદ્ર સુધી માનવ પહોંચ્યો, પરંતુ કોઇને વૈકુંઠ સુધી સમાચાર પત્ર પહોંચાડવાની શોધ નથી કરી!

અરે કૃષ્ણ તુ તો  ત્રિકાળ જ્ઞાની, તારી ઇચ્છા વગર તો પાંદડુ પણ ન હલે, તો શું આ બધુ તારી ઇચ્છાથી થઇ રહ્યું છે?

ના ના એવું તો ન બને, બહેન દ્રોપદીની એક પુકાર સાંભળી તેની લાજ બચાવવા ચીર પૂરા પાડ્યા દુઃશાસનને થકવી દીધો,તો આજે આટલી બધી બેન દીકરીઓની લાજ લુટાતી કૃષ્ણ તું કેમ  જોઇ રહ્યો છે?

તારું કહેવાનું એમ છે ને કે કોઇ સાચો ભક્ત નથી આજ કાલ મંદિર,મસ્જિદ, ચર્ચ બધી જગ્યાએ પાખંડીઓ ધર્મના નામે અધર્મ કરી ભોળા અબુધ લોકોને ફસાવી રહ્યા છે.

સાચી વાત પ્રભુ, નાના મોઢે મોટી વાત માટે માફી માગી લૌ છું પણ તે હજાર અધર્મી સામે પાંચ ધર્મીઓનું રક્ષણ કર્યું, તેમ સેંકડો નહી આજે હજારો પાંખંડીઓ સામે લાખો અબુધ બાળ બહેનો અસહાય નાગરિકોનું રક્ષણ કરવા આવ આ મારી તારા જન્મ દીને નાની સરખી માગણી છે.

સ્વીકારી લે ને પ્રભુ.

અંતરમાં અવાજ સંભળાયો,ભક્ત જરૂર પરંતુ એ પહેલા તું મારું સાંભળ તમે  મારા દ્વાપર યુગના અવતારથી કંઇ શિખ્યા જો શિખ્યા હો તો તમે પાંચ ધર્મીઓ ભેગા મળી અર્જુન બની જાવ ગીતા જ્ઞાન સમજો, સાચા ભક્ત બનો નિષ્કામ કર્મ કરો અધર્મ સામે લડો.

વિચાર આવ્યો કૃષ્ણ અવતારે આપણને શું શિખવ્યું? માનસ પટ પર ૫૦૦૦ હજાર વર્ષ પૂર્વેના ઇતિહાસના પાના એક પછી એક ખૂલવા લાગ્યા.સાચી વાત.

કૃષ્ણ અવતાર આપણને ઘણું શીખવે છે.

પાપીઓ અધર્મિઓનો નાશ કરવો.

ગોપીઓ જેવો નિર્મળ નિષ્કામ  પ્રેમ કરવો .(આજકાલ થતો સ્વાર્થી પ્રેમ નહીં)

ધર્મની રક્ષા નિષ્કામ કર્મ.

સાચી મિત્રતા નિભાવવી  મિત્રને કપરા સમયમાં મદદ કરવી.

તવંગર પાપીઓનો સાથ છોડી, ગરીબ પણ સાચાને સાથ આપવો.

ભગવાને પાપી દુર્યોધનના પકવાન ન સ્વીકાર્યા, વિદુરના ઘરની ભાજી સ્વીકારી.

આ બધુ મનુષ્યને શિખવવા ભગવાન અવતાર લે છે.

મનમાં  પ્રભુને હાથ જોડી કબુલ કર્યું, સાચું  પ્રભુ, ગાંધી, માર્ટીન લુથર કીંગ, મેન્ડેલા  જેવા માનવીઓ શિખ્યા અન્યાય સામે લડત લડ્યા.અને હા મલાલા જેવી નાની બાળાએ પોતાના શિક્ષા મેળવવાના અધિકાર સામે લડત કરી પોતે ઘવાણી છતા દુનિયા સમક્ષ અત્યાચારીઓને ઉઘાડા પાડ્યા. પરંતુ આવા આંગળીના વેઢે ગણાય તેટલા લોકો શું કરી શકે?

આ કળિયુગમાં  માનવની વસ્તી હજાર ગણી વધારે છે, હજારોની સંખ્યામાં કૌરવો જેવા લોકો છે. એટલે જુજ સારા લોકોથી આ કામ થઇ શકે તેમ નથી. કાના તારો આવવાનો સમય પાકી ગયો છે પૃથ્વી વાસીઓ પર મહેરબાની કર  ધર્મ સ્થાપિત કરવા આવ, મારા પ્રભુ આવ..

પ્રભુ ગીતામાં તે કહ્યું છે તે હું આજે યાદ કરું છું.

यदा यदाही धर्मस्य ग्लानिर्भवति भारत।

अभ्युत्थात्म धर्मस्य तदात्मान सृजाम्य हम॥

પ્રભુ મારી નમ્ર વિનંતી છે, આજે તારા જન્મ દિને, હવે તારા નિર્દોષ, અબુધ બાળકોને બચાવવા અવતાર લે,

પૃથ્વીને નરાધમ રાક્ષસોથી બચાવ.

Comments Off on કૃષ્ણ જન્મ શા માટે?
Thu 13 Sep 2012
દુઃખ શાને!!
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 12:59 pm

 

 

 

 

 

 

 

             ભૂલ થઇ જરાક દુઃખ શાને!
             ઘવાયો ગર્વ દુઃખ શાને!!
 
              ભૂતકાળની ભૂરી છાયા
             અટપટુ ભાવિ દુઃખ શાને!!
 
            ભૂત ભાવિ  આશ નિરાશા
            માણુ ના આજ દુઃખ શાને!!
 
          સાથી સફરમાં અનેક
           ભૂલી ગયા સહુ દુઃખ શાને!!
 
         સ્વયં લીધા નિર્ણય, ભલે
         ના માની સલાહ દુઃખ શાને!!
 
          તારી છબી બંધ નેત્રે નિહાળી
          પુષ્પ વર્ષા આ હા.. દુઃખ શાને!!
 
         દુઃખ સુખ વધાવ્યા સમજી
         પ્રસાદ વિભુનો દુઃખ શાને!!
 
          
Comments (2)
Thu 13 Sep 2012
સ્મરણ નવ અગિયાર ૯/૧૧/ ૧૨
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 12:45 pm

 

 

 

 

 

 

        સ્મરણ રહ્યુ ,વરસ વહ્યા અગિયાર
        ના ભૂલાય ,ગોઝારો દિન નવ અગિયાર
 
       આભને આંબતી બે ઇમારતો મગરૂર
       ભૂમિએ પડી પળમાં થઇ ભંગાર
 
       વિકારી જુજ માનવે મચાવ્યો કાળો કેર
       ખુદ મરી ,લીધા સાથ સેંકડો બેકસુર
 
       ઇશુ કૃષ્ણ અલ્લાહ, કરે જોઇ વિચાર!
       હળાહળ કળિયુગ ,ભૂલ્યા તુજ બાળ સંસ્કાર
 
       પાર્થુ વિભુ ,નમાવી શીશ આજ તુજ દ્વાર
       વહાવ અમીઝરા,હટાવ વેર ઝેર વિકાર
       

 

Comments Off on સ્મરણ નવ અગિયાર ૯/૧૧/ ૧૨
Tue 17 Apr 2012
સ્પર્ધા
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 10:41 am
              જીંદગી સફર સ્પર્ધા
    સ્પર્ધા જગાડે ઇર્ષા
     હોડે ઇર્ષા સ્પર્ધા
    ઉપાડે ગર્વના ભારા
                સ્પર્ધા ઇર્ષા સ્પર્ધા
 
     સંસ્કાર સિધ્ધાંત આધારે
     કર્મ કરીશ હર ક્ષેત્રે
     સ્થિર દૃષ્ટિ પ્રયાસ ધ્યેયે
     વાવીશ પામીશ ન્યાયે
                ભૂલાશે ઇર્ષા સ્પર્ધા
 
     કર્યા ઇશ્વરાર્પણ સર્વે
     ભૂત વર્તમાન હિસાબે
     ફળ પામ્યા સહુ પ્રેમે
    સ્વીકાર્યા હર્ષિત સ્નેહે
              નષ્ટ ઇર્ષા સ્પર્ધા
 
    
     
   
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Rate this:

i
1 Vote

 

Quantcast

April 16, 2012                   Posted by                 |                  આધ્યાત્મિક ચિંતન|                  1 Comment | સંપાદન કરો

 

                    
Comments Off on સ્પર્ધા
Tue 28 Feb 2012
આવી ઊભા તુજ દ્વાર
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 4:56 pm

                                                                                                                             જીંદગીમાં અડચણૉ અથડામણો સહી

                                                                                                                                 કદીક ફૂલહાર કદીક કાંટા સહ્યા

                                                                                                                                               આવી ઊભા તુજદ્વાર

                                                                                                                           દુશ્મનોની અવહેલના ઇર્ષા લીધી સહી

                                                                                                                                સ્વજનોએ મુખ મરોડ્યા  સ્વીકાર્યું હસી

                                                                                                                                                          આવી ઊભાતુજ દ્વાર

                                                                                                                                         જાણીતા બની અજાણ્યા રહ્યા ઊભા

                                                                                                                                        અજાણ્યા દોડ્યા હર્ષે મિલાવ્યા ખભા

                                                                                                                                                           આવી ઊભા તુજ દ્વાર

                                                                                                                                             સારા નરસાની ચર્ચા મુકી પડતી

                                                                                                                                           દેશના સમતાના સહારે લીધું જીવી

                                                                                                                                                             આવી ઊભા તુજ દ્વાર

                                                                                                                                        રાહ આજ બદલ્યો કેમ!નિત્યનો રાહી!?

                                                                                                                                   ના પૂછ સવાલ અપનાવ બાહુ પ્રસરાવી

                                                                                                                                                                        આવી ઊભા તુજ દ્વાર 

Comments (1)
Fri 18 Mar 2011
શોધ કર, શોધ કર
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 4:23 pm

હું શોધ કરુ છુપાયેલ મુજને

ક્યાં છે ક્યાં છે શોધીસ ક્યારે

રોમ રોમ ગુંજન કરી પુકારે

          શોધ કર શોધ કર ક્યાં છે                                        ૧

 

સુમતિની કોદાળી લઇ કરે

વિશ્વાસના હાથા વડે

સમર્પણ સમજણ નેત્રો સાથે

ખળ ખળ વહેતા જળના પ્રવાહે

        શોધ કર, શોધ કર ક્યાં છે                                          ૨

 

ભટકેલ ભમતી રખડતી ભવનમાં

ભારે દબાતી અથડાતી વમળમાં

શોધ કરી જંપીશ નહીં છોડુ આશા

જંપલાવીશ ડુબુ ભલે ઉંડાણમાં

       શોધ કર, શોધ કર ક્યાં છે                                              ૩

 

પ્રકાશિત થાય વિજળીના જબકારે

ગીતો અંતરના તારે ગુંજી  ઉઠે

હું કોણ નાચુ ગાઉં મળ્યુ મને

ઓળખુ આજ મુજમા  તુજને

        શૉધ કર શોધ કર મળશે                               ૪

 

 

 

Comments Off on શોધ કર, શોધ કર
Fri 4 Mar 2011
શય્યા
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 6:28 pm

 

અસમર્થ સુખ શય્યાની ગોદમાં

જીંદગી નિરર્થક બની જશે

ફૂલોની શય્યા ન હશે

કાંટાળી શય્યા સહન થશે

રક્ત કણો તુજ સંગમાં

ગુલાબ શય્યા બની જશે

દુઃખ દર્દની સમર્થ શય્યામાં

જીંદગી અર્થાનુસરી બનશે

Comments (2)
Thu 3 Feb 2011
આરતી
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 8:01 pm

ઉતારે સુ પ્રભાતે સૂર્યના ઓજસ થકી

સંધ્યાએ ઉતારે ચન્દ્ર્નો પ્રકાશ અર્પી

પ્રભુ ઉતારે નિયમિત આરતી વિશ્વની

જડ ચેતન સર્વને પ્રકાશિત કરી                                             

 

દિલના દીવડા ભરી ઓજસ આરતી

ઉતારે માનવ દુઃખી દરિદ્ર નારાયણની

મંદિરે પાષાણ મૂર્તિ સજીવન બની

ઘંટારવ નાદ પુરોહિતના છોડી                                      ૨

 

માનવ હ્રુદયે વિભુ પ્રસન્ન બની

પ્રવેશી શ્રદ્ધા સંતોષનું તેલ પૂરી

આશિષ અર્પી સદા ઉતાર આરતી

દુ;ખી દરિદ્ર નારાયણ અલતાર તણી                                       ૩

 

 

 

Comments (1)
Fri 21 Jan 2011
ઓજસ
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 6:27 pm

શિયાળાની શુષ્ક સવાર  પડી

આદિત્ય નારાયણે  આળસ મરડી

સપ્તરંગી ઘોડાની સજી સવારી

ધુંધળા આભ અટપટા મહીં

માર્ગે વાદળો રૂપેરી મઢી

રસ્તો ધપાવી ઓજસે ભરી

રૂપેરી ઓજસથી ભરી ઓશરી

ઉલેચી અંધકાર દૂર ફગાવી

આદિત્યના શુદ્ધ રજત ઓજસ થકી

ઓરડા મનના પ્રફુલ્લિત પ્રકાશે ભરી

શિયાળાની શુષ્ક સવાર પડી

Comments (2)
Tue 18 Jan 2011
ૐ કાર
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 8:19 pm
 
ૐ કાર ૐ કાર ૐ કાર
મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર મંત્ર આદિ
 
 
ૐ કાર પ્રણવ અનાદિ………….મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર શ્વાસ
ૐ કાર પ્રાણ
ૐ કાર જીવન
ૐ કાર વરદાન………….મન ધ્યાન ધર ૐ કાર

ૐ કાર અ  ઉ  મ

ૐ કાર તન મન બ્રહ્મ

ૐ કાર સ્થિતિ ત્રણ

જાગૃત સ્વપ્ન સુષુપ્ત…………..મન ધ્યાન ધર ૐ કાર

ૐ કાર દેવાધિદેવ

ૐ કાર શિવ મહાદેવ

ૐ કાર નિત્ય અનંત

ૐ કાર સત્ ચિત આનંદ…………મન ધ્યાન ધર ૐ કાર

ૐ કાર ધ્વનિ માર્ગમાં

ૐ કાર નાદ ગગનમાં

ૐ કાર ત્રણે ભુવનમાં

ૐ કાર બ્રહ્મનાદ જીવનમાં………..મન ધ્યાન ધર ૐ કાર

ૐ કાર અતિ પાવન

ૐ કાર મન ભાવન

ૐ કાર નિત્ય સુમિરન

ૐ કાર ધ્યાન પરમ…………..મન ધ્યાન ધર ૐ કાર

 

Comments (3)
Fri 3 Dec 2010
છત્રી
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 12:44 pm

 

વિષયોની વર્ષા વરસે

સત્સંગની છત્રી પાસે

સુખની ઝરમર વરસે

કે દુઃખની ઝડી ભારે….સત્સંગની છત્રી પાસે

કાગડો થઇ ના ઉડે

સુખમાં નહિ બહેકે

દુઃખ ભયમાં ન ધકેલે….સત્સંગ છત્રી પાસે

સત્સંગ છત્રી બચાવે

સુખ દુઃખને સ્વીકારે

અહંકાર ન ઉદભવે

સદા આનંદમાં રહે…..સત્સંગની છત્રી પાસે

 

 

Comments (5)
Sun 28 Nov 2010
વિચલિત
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 6:30 pm

વાસના રૂપ રસનાના પ્રલોભન

ક્ષણે ક્ષણે થાય વિચલિત મન

પહોંચી ન શકે ધારેલ ધ્યેયે મન

સંકલ્પ દૃઢ કરી દોડશે કદમ

તારુ ધ્યેય સિદ્ધ કરીશ મન

           એક્ય

ભગવાન છુપાયા યોગ માયાના પરદે

જીવ ખોવાયો જગત માયાના પરદે

બેઉ ઊઠાવે પરદો જ્યારે

જીવ બ્રહ્મ થાય એક ત્યારે

 

 

Comments (1)
Wed 17 Nov 2010
ઘટ
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 11:39 am

 

મનનો ઘટ ભારી ભાર લઈ ફરે

મન ભારી તન ભારી જગ ભારી ભાસે

મુર્ખ મન થોથા ભારી વાંચ્યા કરે

ટી વી ચેનલ ફ્લીપ કરે કંઇ ન વળે

મેલ જગ આખાના રાખે ભરે

હજાર પ્રશ્નો મનમાં ઉઠ્યા કરે

ઘટ ભારી સંસાર સાગરે ડુબે

અંતીમ ક્ષણે વાસનાના ભાર સાથે

ચોરાશી લાખ ફેરા ફર્યા કરે

શુભ ઘડીએ ઘટ ખાલી થયો જ્યારે

ચિંતા છોડી ઘટ ભરવાની ફરી

હલકો ફૂલ સંસાર સાગર તર્યો ત્યારે

 

Comments Off on ઘટ
Tue 2 Nov 2010
મનની વ્યથા
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 12:42 pm

 

                                                                                                                                        નથી તેને પામવું કેમ 
                                                                                                                                         છે તેને સાચવવું કેમ
                                                                                                                                                   મનની ભયંકર બે વ્યથા 
                                                                                                                                          નથી તે મેળવવા મથે
                                                                                                                                         લે વેંચ શેર બજારે કરે
                                                                                                                                      દુન્વયી રેસનો ભોગ બને
                                                                                                                                                    મનની ભયંકર બે વ્યથા                   
                                                                                                                                      ચંચળ મન રાહ ન જોઇ શકે
                                                                                                                                        મળ્યુ જે સાચવી ન જાણે
                                                                                                                                      બુલ બેર માર્કેટની રમત રમે
                                                                                                                                                  મનની ભયંકર બે વ્યથા                    
                                                                                                                                       અશાંતિ મનનો કબજો કરે
                                                                                                                                       બોજો બેરનો કદીક વધે
                                                                                                                                      બુલના ભારે અભિમાન કરે
                                                                                                                                                   મનની ભયંકરબે વ્યથા
                                                                                                                                            પામ્યું ઇશ્વર કૃપા શુભ દિને
                                                                                                                                              ભેટ્યા સદગુરુ સત્સંગે
                                                                                                                                             ગુરુએ ચિંધેલ સત્માર્ગે
                                                                                                                                            ઠાલવ્યો ભાર પ્રભુ ચરણે
                                                                                                                                                        હળવુ મન ભુલ્યુ વ્યથા                 
                                                                                                                                              તન મન ધન અર્પણ કરે
                                                                                                                                            સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે
                                                                                                                                                     ફરકે કદી ન મન સમીપ વ્યથા             
                                   
 

 

Comments (5)
Fri 15 Oct 2010
પિડીત પૄથિવી
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 9:01 am

 

મેહુલો ગાજ્યો ગરજ્યો

વિજળીના ઝબકારા ચમકારા

વરસ્યો નહિં ક્યાં ભાગ્યો

રિસાયો રાખી અમને કોરા                                   ૧

દ્રવિત હ્રુદયે વહેતી અશ્રુ ધારે

મલ્હાર ગુંજી ઉઠ્યો નભદ્વારે

મન મુકી વરસ્યો ભીંજવ્યા પ્યારે

છલકાયા નદી નાળા સરોવર                             ૨

કોના કોપે ગાંડોતુર મેઘ વિફર્યો

ડેમના દ્વાર બંધનો તોડ્યા

ધરણીના ખુણે ખુણા ધોયા

પાપના ભારા ને પ્રદુષણો ધોયા                          ૩

પૃથિવી ભાર હળવો થતા હર્ષાતી

સ્વાર્થી માનવને સમજાવતી

માને પિડીત પ્રદુષણ પાપથી કરીશ

પ્રલયકાળને આમંત્રણ આપીશ

વિનાસ ખુદ સંગે જગનો કરીશ                                         ૪

 

 

Comments (2)
63 queries. 0.288 seconds. Powered by Gujarati Sahitya Sarita
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.