Wed 26 May 2010
રૂપ-સ્વરૂપ ૦૫/૧૨/૧૦
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 10:11 am

રૂપ ક્ષણ ક્ષણમાં બદલાતા રહે

માતા પિતાના પ્યારા પુત્ર પુત્રી

પુખ્ત વયે બને કોયના પતિ પત્નિ

વળી રૂપ જાય બદલાય

પોતે માતા પિતા બની જાય

ઓફિસમાં એમ્પલોયી-મેનેજર

ઘેર આવે બની જાય નોકર ચાકર

વનમાં(૫૦-૫૫) પ્રવેશે બને સાસુ સસુર

સાંઠે પોંહચ્યા બન્યા દાદા દાદી

જીવનના તખ્તા પર રૂપ બદલાતા રહ્યા

વિવિધ પાઠ ભજવાતા રહ્યા

રૂપની સ્મૃતિ છે સર્વને

સ્વરૂપની કદી ન થઈ જાણ

રૂપની વેષભૂષામાં સ્વરૂપ રહ્યુ અજાણ

Comments (2)
Mon 24 May 2010
આસક્તિ
Filed under: સ્વરચના — indirashah @ 10:39 am

આસક્તિ બને ઉપદ્ર્વ બન્ને પક્ષે

આસક્ત પોતા પર 

જેના પ્રત્યે છૅ તેના પર       ૧

ધન પ્રત્યેની આસક્તિ

પૂરે લક્ષ્મી દેવીને તિજોરીયે

આસક્તની નિદ્રા હરાય

લક્ષ્મી દેવી જેલમાં મુંઝાય            ૨

એક દિવસ તિજોરીનો કોડ

જાણી જાય ઘરની મેડ

તિજોરી તૂટે મુંઝાયેલ લક્ષ્મી

દુનિયામાં અયોગ્ય રસ્તે વેડફાય        ૩

આસક્તિ સંતાનો પ્રત્યે

મા બાપની ફિકર બની જાય

ડાયાબિટીસ બ્લડ્પ્રેસર કરે પ્રવેષ

સંતાનો નો રૂંધાય વિકાષ                  ૪

શાળા પૂર્ણ કરી વિદ્યાલયે જાય

સંપૂર્ણ સ્વતંત્રતા મળી જાય

વ્યસનોના ભોગ બની જાય

આસક્તિયે આપ્યુ પુષ્તક્યુ જ્ઞાન

ન કરાવ્યુ દુનિયાનુ ભાન                      ૫

તેથી પડી કહેવત દુનિયામાં

ભીતી વગરની પ્રિતી જાય વેડફાય          ૬

 

 

 

Comments (3)
Tue 11 May 2010
નિરાશા-આશા ૦૫/૧૧/૧૦
Filed under: સ્વરચના — indirashah @ 11:49 am

નિરાશા લાવે મનમા વિષાદ

હરિ લે જીવતરનો સ્વાદ

નિરાશાનો છે રોગ ભયાનક

          પણ જો આવે

આશાની ઘડી બે ઘડીની ઝલક

           પછી તો

સંઘર્ષ વચ્ચે પણ સ્મિત મુર્ઝાય નહિ

રણ્મેદાનમાં પણ ગીત મુર્ઝાય નહિ

એવી આશા સંગે જે જીવી જાણે

વિપત્તિ આપત્તિનો સરળ માર્ગ જાણે

        

Comments (1)
Tue 11 May 2010
પ્રભુનો નિવાસ 05/10/2010
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 11:27 am

શરીર ઇન્દ્રિય જીવ, કર્મ કરી જાણે

મન જ કર્મ અને મોક્ષનુ બને કારણ

મન સાંભળી સમજી ચિંતન કરશે,

જ્યારે શાત્રાર્થ વિશ્વાસ દૃઢ બનશે

ત્યારે જ પ્રભુ અનુરાગ વધતો જશે,

સર્વ શક્તિમાન પ્રભુ બંદી બની હ્રદયે રહેશે.

દુર થાય જશે સર્વ તૃષ્ણાનો ભાર

હલકા ફુલ જેવા હૈયે હરહંમેશ

પ્રભુનો બની રહેશે સ્થીર નિવાસ.

Comments (1)
Fri 7 May 2010
ક્થામૃત
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 1:02 pm

ધાર્મિક ગ્રંથો એ કામધેનુ ગાય

ભક્તોની શ્રધા પહોંચે વક્તા સુધી

બની જાય કામધેનુનો ચારો

બોલાવે વક્તાને ભક્તો ભાવથી

વક્તા બની જાય ગોપાળ ગોવાળ

સુણાવે કથામૃત વ્યાસપીઠેથી

શ્રોતા સન્મુખ બેસી કરે જ્ઞાનામૃત પાન

વક્તા ખોલે ગ્રંથના ત્રણ મુખ્ય રૂપ

મહાલક્ષ્મી મહાસરસ્વતી મહાકાલિકા

મા મહાલક્ષ્મી પોષણ કરે વિશ્વનુ

કથા રૂપી મહાલક્ષ્મીનુ શ્રોતાઓએ પાન કર્યુ

શ્રોતાઓના મન બુધ્ધિ શરીરનુ પોષણ થયુ

મા સરસ્વતી શિક્ષા આપે બાળપણથી યુવાની સુધી

કથારૂપી મા સરસ્વતી શ્રોતા દ્વારા આપે શિખામણ પાઠથી

મા મહાકાલિકા કદીક ક્રોધે બાળકને દંડે

તો કદીક ચંડીકા બની બાળકને રક્ષે

કથામૃત વક્તા દ્વારા ચંડીકા રૂપે

દુર્ગુણો ભગાડી સુષુપ્ત સદગુણો જાગૃત કરે

નિરાશ હતાશ મનને આશા અર્પે

કિંકર્તવ્ય વિમૂઢ મનને સાચે માર્ગે દોરે

જીવનની બેટરીને રી ચાર્જ કરે

સંસાર રૂપી કોમપ્યુટરમાં અસંખ્ય વાયરસ

સંસારીના મન બુધ્ધિ આત્મા કલુસિત કરે

સદવિચાર સદગુણોમાં મલિનતા પ્રવેશ કરે

મન બુધ્ધિ જીવ આવી જાય પકડમાં

દોરી જાય જીવને દુષ્કર્મોમાં

કથા રૂપી મા ચંડીકા બની જાય

એન્ટીવાયરસ સોફ્ટવેર પ્રોગ્રામ

ફરી લાવી દે આનંદ ઉલ્લાસ જીવનમાં

એન્ટીવાયરસને અપડેટ કરતા રહો

કથામૃત સમયે સમયે સુણતા રહો

 

 

 

 

Comments Off on ક્થામૃત
40 queries. 0.197 seconds. Powered by Gujarati Sahitya Sarita
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.