અર્જુન જીતેન્દ્રિય મહાન
કેન્દ્રિત કરે લક્ષ્ય પર બાણ
કુરુક્ષેત્રે સ્વજનો જોઇ ધૃજ્યો
ગાંડીવ હસ્તેથી સરક્યુ
મન વિષાદે સપડાયું
પિડીત મન દ્વિધામાં પડ્યુ
સેંકડૉ પ્રશ્ને બુદ્ધિ સપડાઈ
કૃષ્ણ અર્જુન સંવાદ સર્જાય
કર્મ ભક્તિ જ્ઞાન સંગમ થાય
મન બુદ્ધિ અહંકાર ઓગળે
દુનિયાને ગીતા ઉપદેશ મળે
બન્યો અર્જુન વિષાદ કારણ
રચાયો ગીતા ગ્રંથ મહાન