Sun 22 Aug 2010
કૃષ્ણ મહિમા
Filed under: સુવાક્યો,Uncategorized — indirashah @ 11:36 am

 કૃષ્ણ પુછુ તને આજ આ તારી લીલા કે મહિમા

તારા સુપ્રસિદ્ધ સખા ત્રણ અર્જુન ઓધવ સુદામા

અર્જુન યોદ્ધો થયો ભયભીત

આપ્યો યોદ્ધાને ગીતા બોધ

કર્મ જ્ઞાન ભક્તિ મર્મ સમજાયો

સખા સાચો કર્મ યોગી બન્યો 

આ તારી લીલા કે મહિમા                   ૧

દીન સુદામાની ભક્તિ ભરપુર

તાંદુલને દાણે મહેલ બની કુટીર

લીધા પગરખા ભક્તના ચોરી

ભક્ત પદરજે પાવન સુવર્ણ મહેલ

સુવર્ણ રજે ભક્ત થયો ન્યાલ

આ તારી લીલા કે મહિમા                             ૨

ઓધ્ધવમા જોઇ શાણપણ

નિજ દેહ નિર્વાણે

પહોંચાડવા સંદેશ પ્રિય જનોને

પાઠવ્યો હરિદ્વાર ધામ

રસ્તે રોકાય ગોકુળ દ્વારે

સમજણ ગોપીઓને દેજે

મિલન થાય ઓધવ વિદુરનુ હરિદ્વારે

બે મહાન આત્માના મિલને

તૃપ્ત થાય હરિ ખુદને દ્વારે

આ તારી લીલા કે મહિમા                    ૩

કૃષ્ણ જીવનમા ત્રણ મશહૂર નારી

રાધા રુક્મિણી દ્રોપદી

રાધા બની રહી માયાવી રમણી

રાસલીલામા સંગે રહી ઘુમી

કદિક કરી ઇર્ષા બંસીની

રમણી રિસાતી મનાતી

દુર છતા રહી કૃષ્ણ નિકટ

બની સર્વોચ્ચ પ્રેમનુ પ્રતીક

આ તારી લીલા કે મહિમા                 ૪

રુક્મિણી દ્વારિકાની પટરાણી

પ્રથમ પુત્ર જન્મે

સહી ગેરહાજરી દ્વારિકાધીશની

પ્રદ્યુમન નામ કરણ વિધી વિધાન

કર્યા આદર્શ પત્નિ બની

કદી ન રિસાઇ બની રહી સાચી સંગિની

આ તારી લીલા કે મહિમા                                             ૫

દુર કરી વિદુષી દ્રોપદીની દ્વિધા

પાંચ પતિ સાથે વિવાહ થયા

બની રહી સતી પાંચ પતિ નિભાવ્યા

આજ ગણના પાંચ સતીમા થતી

તારા મંદોદરી અહલ્યા સાવિત્રી દ્રોપદી

આ તારી લીલા કે મહિમા                                            ૬            

 

 

 

 

 

 

 

 

              

 

  

Comments (3)
Thu 12 Aug 2010
સુવાક્યો
Filed under: સુવાક્યો — indirashah @ 10:22 am

૧)   એક જ તક બોલવાની મળે તો એવુ બોલોકે સાંભળનાર ને તમારો અવાજ યાદગાર બને.બોલતા તો બધાને આવડે ,સમયસર સમયની મર્યાદામા રહી શું બોલવુ તે આવડે.

૨)     હંમેશા તમારુ પાત્ર ખૂબ મહત્વ્નુ છે માની પૂરા ખંતથી ભજવો. પાત્રની શ્રેષ્ઠ્તા સાબિત કરો. 

૩)      સામાન્ય લીંબુમાંથી ફક્ત લીંબુ શરબત જ ન બનાવતા ભવ્ય લીંબુ શરબતનો સ્ટોલ બનાવો.આવા મહત્વકાંક્ષી બનો.

૪ )     જે કામમા તમારા હાથ ત્યાં તમારુ મન સો ટ્કા લગાડો . જો મલ્ટી ટાસ્ક કરવા જસો તો ભયંકર ભૂલના ભોગ બનશો.

અત્યારે આટલેથી અટકુ છુ .વધારે મુકતી રહીશ.

૫)     બધી પરિસ્થિતિયોંમાં માનસિક સમતુલતા રાખવી તે જ શાણાપણ.

૬)    જ્ઞાન અને કર્મનું રહસ્ય એજ છે કે જે જુવે છે તે કરતો નથી,

       અને જે કરે છે તે દેખતો નથી.

૭)    અંધકાર નિરાશા

         શ્રદ્ધા પ્રકાશ

મહાનતાના લક્ષણૉ

ક) ધૈર્ય

ધીરજ રાખી કરેલ કાર્ય સભળ થાશે

કહેવત છે ને ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર

ખ) વિશ્વાસ   કહેવત છે ને વિશ્વાસે વહાણ ચાલે

ગ) સફળતાનુ શ્રેય બીજાને આપો

ઘ) અસફળતાનો બોજ ખુદ પર ઉઠાવો

ચ)એકાગ્રતા   સાચો નિર્ણય લાવે સાચો નિર્ણય જીવનને સફળ બનાવે સફળ વ્યક્તી મહાન બને

છ) મહાનતાનુ શિખર સર કર્યા પછી  સદ ચરિત્ર સદ વિચાર આવસ્યક

Comments (1)
38 queries. 0.171 seconds. Powered by Gujarati Sahitya Sarita
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.