મિત્રો આ સાથે દિવાળી વિશે મારા વિચારો મોકલુ છું

દિવાળીનો તહેવાર વાક્ બારસથી શરુ થાય અને જ્ઞાનપંચમી સુધી કહેવાય,
અધુનિક જમાનામાં આગળીના ટેરવે નુતન વર્ષાભિનંદન થાય, રંગોળી મુકાય
ટેકનોલોજીથી દુનિયા નાની થઈ રહી છે. જોજનો દૂરથી સંદેસા પલકારામાં અસંખ્ય
લોકોને મળી જાય છે.ફાયદા ઘણા છે.પરંતુ નવી પેઢીઆપણા તહેવારનો જે ઉત્સાહ
ઉમંગ આપણે નાનપણમાં માણૅલો તેનાથી વંચિત રહેશે. હું દિવાળી પર્વ વિશે કાવ્ય લખવાને
બદલે આડી વાત પર ચડી ગઈ. કાવ્ય.

વાક્ બારસ દિને વન્દુ મા સરસ્વતિ તને
તુજ કૃપા દૃષ્ટિ મુજ પર રહે
કટુ વચન કદી જિહ્વા ન બોલે
દેવ ધન્વન્તરિને વિનવું
સ્વાસ્થયનો સાથ રહે
મન મારું શુધ્ધ વિચારે વિહરે
મિત્રતા સહુ સાથ રહે
આધ્યાત્મિકતા ઉરમાં વશે
દ્રઢ નિશ્ચયિ કાળી ચૌદશે બનુ
કંકાશ કકળાટ દૂર રહે
દિવાળીએ દિવા પ્રગટે
અજ્ઞાન અંધકાર કરી દૂર
ઉજાશ જ્ઞાનનો નિરંતર રહે
ફૂલછડીના રંગબેરંગી ફૂલ જરે
ઇચ્છું સહુના જીવન રંગીન બને
નૂતન વર્ષાભિનંદન નવા વર્ષે
સગા સંબંધીને ભેટુ પ્રેમે
ભાઇબીજે ભાઇ-બેનના સ્નેહ વધે
ત્રીજ ચોથ સહુ સાથે હળીઍ મળીએ
જ્ઞાન પંચમીઍ શુભ લાભ સૌને મળૅ
સારા પુષ્તક વાંચન કરી જ્ઞાન વધે