શરીર રૂપી રથ લઇ નીકળી
દસ ઘોડાઓ સુશોભિત શણગારી
નેત્રો પર પચરંગી ડાબલા ભારી
મન બુધ્ધિ ના પાડ્યા કરે
ન જોવાનુ જોયા કરે
રથ દોરાય આડે અવળે
કાન કદિક શાણા થઇ સાંભળે
વાસના પડળ મન પર પડેલ
સાંભળ્યુ ન સાંભળ્યુ કરે
બુધ્ધિ વિચાર કર્યા કરે
રથ ચાલે ના સિધે રસ્તે
અથડાતો ઘવાતો ફેરા ફર્યા કરે
મુક્ત ન થાય, આધિન વાસનાને
કૃપા વરસી જ્યારે ઉદાર હસ્તે
અંતઃકરણ વિચાર કરે વિવેકે
રથ દોરાયો સત્ સંગ સત્કર્મે
પડળો વાસનાના ખર્યા ત્યારે
રથ યાત્રા પુરી કરી શુભ દિને
જીવનજ રથ છે..આપણે એમા બેઠેલા મુસાફર કે ચાલક છીએ….ઊધા રસ્તા લેવાય જાય! પણ મન-બુધ્ધી અને તનના તણાવમા..કોણ જીતે? અદર બેઠેલો જીવ(આત્મા) કે પછી ચલાવનાર પ્રાણી?
Comment by vishwadeep — October 5, 2010 @ 9:21 am