મા-બાપ અને સદગુરુના ઉપકારનો બદલો કોઈ રીતે વાળી શકાતો નથી. કોઈની લખેલી આ કવિતા છે,
પણ આજના દિવસે,મારા બાના દેહત્યાગના બરાબર એક વર્ષે, કવિતાની ધ્રુવ પંક્તિ
મનમાં ગુંજે છે….
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા.
મંદિરમાં જઈ આજ દર્શન કર્યાં મેં,
ઘંટ વગાડ્યો, પૂજા-અર્ચના કરી મેં,
પ્રસાદ લીધો, લઈને ઘરે હું આવ્યો,
આંખોમાં આંસુ ત્યાં ભરાઈ આવ્યાં,
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા.
ભીંજાઈને બહારથી ઘરે હું આવ્યો,
છીંકાછીંક શરદી તાવ સાથ લાવ્યો,
છાતી ગળે પત્નીએ બામ લગાવ્યો,
આંખોમાં આંસુ ત્યાં તો ધસી આવ્યાં,
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા.
બા, તમારા પૌત્રના આજે લગ્ન કીધાં,
તુજ વહૂને પોંખીને ઓવારણા લીધાં,
આજે ઘરમાં પૂત્રવધુના પગલાં પડ્યાં,
હૃદયનાં બંધ, બેફામ સૌ તૂટી પડ્યાં,
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા.
ઝરણાં, નદીઓ એમ જ વહેતાં રહેશે,
સાગર ઊછળશે, વાદળો પણ છવાશે,
એ જ વાયુ ને એ જ રોજિંદુ વાતાવરણ,
પણ બા, તમે ક્યાં છો, તમે ક્યાં છો?
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા (Punita Dave ?)
સરસ કાવ્ય.
Comment by Pancham Shukla — August 16, 2010 @ 5:55 pm
punita bahen,
સરસ કાવ્ય.
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
Ghanshyam Vaghasiya
http://ghanshyam69.wordpress.com/
Comment by ghanshyam — August 19, 2010 @ 11:26 am
આ રચના મારી જાણ પ્રમાણે શ્રી પ્રવીણચંદ્ર કસ્તુરચંદ શાહની છે અને એમના બ્લોગ પર પ્રસિદ્ધ થઈ ચૂકી છે:
વર્ડપ્રેસ http://pravinchandra.wordpress.com/2009/07/01/my-gujarati-poetry/
બ્લોગસ્પોટ http://pravinchandrakshah.blogspot.com/2009/08/blog-post.html
(જુઓ રચના ક્રમાંક ૩૨૭)
Comment by વિનય ખત્રી — November 25, 2010 @ 6:02 am
આ કાવ્યના રચયિતા છેઃ
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ
Comment by શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ — November 25, 2010 @ 7:41 am