કૈકયીએ રામને વનમાં રાખ્યા

ભરતજીએ રામને મનમાં રાખ્યા

હનુમાનજીએ રામને હૈયે રાખ્યા

સીતાજીએ રોમેરોમમાં રાખ્યા

લક્ષ્મણજીએ કર્તવ્યમાં રાખ્યા

માનવ રામને બુધ્ધિમાં રાખી જીવે

માતા પિતાની આજ્ઞા શિરે ધરે

ભાતૃપ્રેમ આદર મનમાં રહે

ગૃહેગૃહમાં ક્લેશ કંકાસ ન રહેતા

સંપ સુખ શાંતિ સમર્પણ સ્થપાય

રામ રાજ્ય સ્વપ્ન સાકાર બની જાય.