Tue 11 May 2010
નિરાશા-આશા ૦૫/૧૧/૧૦
Filed under: સ્વરચના — indirashah @ 11:49 am

નિરાશા લાવે મનમા વિષાદ

હરિ લે જીવતરનો સ્વાદ

નિરાશાનો છે રોગ ભયાનક

          પણ જો આવે

આશાની ઘડી બે ઘડીની ઝલક

           પછી તો

સંઘર્ષ વચ્ચે પણ સ્મિત મુર્ઝાય નહિ

રણ્મેદાનમાં પણ ગીત મુર્ઝાય નહિ

એવી આશા સંગે જે જીવી જાણે

વિપત્તિ આપત્તિનો સરળ માર્ગ જાણે

        

Comments (1)
Tue 11 May 2010
પ્રભુનો નિવાસ 05/10/2010
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 11:27 am

શરીર ઇન્દ્રિય જીવ, કર્મ કરી જાણે

મન જ કર્મ અને મોક્ષનુ બને કારણ

મન સાંભળી સમજી ચિંતન કરશે,

જ્યારે શાત્રાર્થ વિશ્વાસ દૃઢ બનશે

ત્યારે જ પ્રભુ અનુરાગ વધતો જશે,

સર્વ શક્તિમાન પ્રભુ બંદી બની હ્રદયે રહેશે.

દુર થાય જશે સર્વ તૃષ્ણાનો ભાર

હલકા ફુલ જેવા હૈયે હરહંમેશ

પ્રભુનો બની રહેશે સ્થીર નિવાસ.

Comments (1)
34 queries. 0.130 seconds. Powered by Gujarati Sahitya Sarita
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.