નિરાશા લાવે મનમા વિષાદ

હરિ લે જીવતરનો સ્વાદ

નિરાશાનો છે રોગ ભયાનક

          પણ જો આવે

આશાની ઘડી બે ઘડીની ઝલક

           પછી તો

સંઘર્ષ વચ્ચે પણ સ્મિત મુર્ઝાય નહિ

રણ્મેદાનમાં પણ ગીત મુર્ઝાય નહિ

એવી આશા સંગે જે જીવી જાણે

વિપત્તિ આપત્તિનો સરળ માર્ગ જાણે