શરીર ઇન્દ્રિય જીવ, કર્મ કરી જાણે

મન જ કર્મ અને મોક્ષનુ બને કારણ

મન સાંભળી સમજી ચિંતન કરશે,

જ્યારે શાત્રાર્થ વિશ્વાસ દૃઢ બનશે

ત્યારે જ પ્રભુ અનુરાગ વધતો જશે,

સર્વ શક્તિમાન પ્રભુ બંદી બની હ્રદયે રહેશે.

દુર થાય જશે સર્વ તૃષ્ણાનો ભાર

હલકા ફુલ જેવા હૈયે હરહંમેશ

પ્રભુનો બની રહેશે સ્થીર નિવાસ.