Thu 13 Sep 2012
દુઃખ શાને!!
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 12:59 pm

 

 

 

 

 

 

 

             ભૂલ થઇ જરાક દુઃખ શાને!
             ઘવાયો ગર્વ દુઃખ શાને!!
 
              ભૂતકાળની ભૂરી છાયા
             અટપટુ ભાવિ દુઃખ શાને!!
 
            ભૂત ભાવિ  આશ નિરાશા
            માણુ ના આજ દુઃખ શાને!!
 
          સાથી સફરમાં અનેક
           ભૂલી ગયા સહુ દુઃખ શાને!!
 
         સ્વયં લીધા નિર્ણય, ભલે
         ના માની સલાહ દુઃખ શાને!!
 
          તારી છબી બંધ નેત્રે નિહાળી
          પુષ્પ વર્ષા આ હા.. દુઃખ શાને!!
 
         દુઃખ સુખ વધાવ્યા સમજી
         પ્રસાદ વિભુનો દુઃખ શાને!!
 
          
Comments (2)
Thu 13 Sep 2012
સ્મરણ નવ અગિયાર ૯/૧૧/ ૧૨
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 12:45 pm

 

 

 

 

 

 

        સ્મરણ રહ્યુ ,વરસ વહ્યા અગિયાર
        ના ભૂલાય ,ગોઝારો દિન નવ અગિયાર
 
       આભને આંબતી બે ઇમારતો મગરૂર
       ભૂમિએ પડી પળમાં થઇ ભંગાર
 
       વિકારી જુજ માનવે મચાવ્યો કાળો કેર
       ખુદ મરી ,લીધા સાથ સેંકડો બેકસુર
 
       ઇશુ કૃષ્ણ અલ્લાહ, કરે જોઇ વિચાર!
       હળાહળ કળિયુગ ,ભૂલ્યા તુજ બાળ સંસ્કાર
 
       પાર્થુ વિભુ ,નમાવી શીશ આજ તુજ દ્વાર
       વહાવ અમીઝરા,હટાવ વેર ઝેર વિકાર
       

 

Comments Off on સ્મરણ નવ અગિયાર ૯/૧૧/ ૧૨
36 queries. 0.133 seconds. Powered by Gujarati Sahitya Sarita
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.