અહિંસક બન્યો હથિયાર તજ્યા
ધૃણા ક્રોધ દ્વેષ ઘમંડ મનમાં રહ્યા
ઓર્ડર થયો પોલીસે ગોળીબાર કર્યો
લઇ પણ અહિંસાનું અહિંસકે જાન ગુમાવ્યો
ઉપરી કે પોલીસ કોણ હિંસક ઠર્યો
ખુદ અહિંસક મનના મેલે હિંસક ગણાયો!
હિંસા અહિંસાનો નાજુક ભેદ ના કળાયો!………………………………૧
સારથી બની ઉપદેશ અર્જુનને કૃષ્ણે આપ્યો
હિંસા સગા વહાલા કોઇની નથી તું કરતો
છોડી કર્તૃત્તવ ભોકતુત્ત્વ ભાવ ,ધર્મ અનુસર તારો
ધૃણા અહંકાર છોડી,નિસ્પૃહ સ્થિતપ્રજ્ઞ યોગી બન્યો
અર્જુન લડ્યો મહાભારત યુધ્ધ વિજયી બન્યો
ધર્મ રક્ષણ કાજે વિનાશ જરુરી અધર્મીયોનો
હિંસા અહિંસાનો ભેદ ગીતા ઉપદેશે ઉકેલ્યો ……………………………૨